હવે પાકિસ્તાન નાગરિકોનો ઢાલ તરીકે કરી રહ્યું છે ઉપયોગ, ભારતીય સેનાએ ખોલી “દુશ્મન દેશ” ની પોલ

By: Krunal Bhavsar
09 May, 2025

ભારતે ઘણા પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે. આ ડ્રોન પાકિસ્તાન દ્વારા ભારત તરફ મોકલવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હુમલો કરીને બદલો લીધો છે. અને હવે પાકિસ્તાન નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

ભારતના જવાબી હુમલાઓ બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન હવે તેના નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેને પોતાના નાગરિકોની સહેજ પણ પરવા નથી. ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાને નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરીને ભારત પર ડ્રોન હુમલા કર્યા છે. પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર સક્રિય રાખ્યું. દમ્મામ અને લાહોર વચ્ચે ફ્લાઇટ્સ ચાલુ રહી. ભારતીય હુમલા દરમિયાન પાકિસ્તાનના સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.

આજે આર્મી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે તસવીર બતાવી અને કહ્યું, ‘7 મેના રોજ રાત્રે 08:30 વાગ્યે નિષ્ફળ ડ્રોન અને મિસાઇલ હુમલો કરવા છતાં પાકિસ્તાને પોતાનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું ન હતું.’ પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે, તે સારી રીતે જાણે છે કે ભારત પર તેના હુમલાથી ભારતીય હવાઈ સંરક્ષણનો ઝડપી જવાબ મળશે. ભારતીય વાયુસેનાએ તેના પ્રતિભાવમાં ખૂબ જ સંયમ દાખવ્યો, આંતરરાષ્ટ્રીય નાગરિક વાહકોની સલામતી સુનિશ્ચિત કરી.


Related Posts

Load more